સુરત દુર્ઘટના : કોણ જવાબદાર?



ક્યારેક વિચારું છું કે કેવું છે આ જીવન ? ક્યારેક એક પળ માં જ ખુશ ને બીજી જ પળ માં બધું જ ગાયબ થઇ જાય. કેમ એવું થતું હશે? ક્યારેક બધું જ હોવા છતાં પણ આખી દુનિયા બેરંગી લાગે તો ક્યારેક કઈ જ ના હોય તોય બધું જ સારું લાગે. આ કદાચ પહેલો વિકેન્ડ હશે જયારે કોઈ ઈચ્છા જ ના થાય , કોઈ જગ્યે મન જ ના લાગે . જોકે મન પણ ક્યાંથી લાગે વિકેન્ડ ની ઘેલછા માં ઘેર આવાની રાહ જોતી વખતે જ દિલ રોઈ જાય , આખા શરીર માં કંપારી આવે એવી ઘટના સાંભળી.સુરત માં આગ લાગી અને એમાં માસુમ બાળકો મોત ને વળગ્યા . સાંભળી ને જ દુઃખ થાય છે કોઈ જાત નો સંબંધ ના હોવા છતાં.એક પળ માટે વિચારો બાળકો ના ફેમિલી પર શું વીત્યું હશે. આખી ઘટના માટે જવાબદાર કોણ? ટ્યૂશન ક્લાસ ના સંચાલકો? બિલ્ડર ? મ્યુન્સિપલ ખાતું કે પછી આપણી જનતા જે બધું જ જોઈ રહી મોબાઈલ માં વિડિઓ ઉતારતી રહી પણ આગ થી બચવા જે બાળકો કૂદી રહ્યા હતા એમને બચવા આગળ ના આવ્યા. નામ નથી ખબર પણ કોઈ એક માણસ જે આગળ આવ્યો હતો અને એકલા એ અમુક બાળકો નો જીવ બચ્યો જો એની સાથે બીજા લોકો જોડાયા હોટ તો આજે ઘણા માસુમ જીવો બચી ગયા હતા. ખરેખર અફસોસ થાય છે. થોડા મહિના પહેલા જયારે સરદાર ની પ્રતિમા બની ત્યારે ગર્વ લેવાનું મન થાય પણ આજે અફસોસ થાય છે કે આપણી પાસે ૪ ફુટ ઉચી સીડી નથી. ટ્રાફિક માં રૂલ્સ તોડો તો મેમો આવે પણ આ માસુમ ના જીવ પાછળ કોણ જવાબદાર.મોદી સાહેબ ની જીત ની ઉજવણી કરો ના નથી પણ આ જીવો નું શું? જીવ બચાવવા મોતના કૂદકાં લગાવ્યા એ દ્રશ્યો જોઈને સમગ્ર ગુજરાતના હૈયે હાયકારો નીકળી રહ્યો છે. આજે જ કોઈ બાળકી એડમિસન લે છે અને કાલે એનું મોત થાય છે. એક છોકરી એના બાપ ને ફોને કરે છે કે હું કૂદી જાવ છું વિચારો એ બાપ પર શું વીતી હશે. હજારો સપનાઓ એ આગ માં રાખ થઇ ગયા પણ હજી સરકાર પાસે કોઈ જવાબ નથી. સાંત્વના ની જગ્યે ૪ લાખ નુ દાન  આપે છે. શું આ  ૪ લાખ થી બાળક પાછું આવશે. માફ કરજો સરકાર સાહેબ પણ હજી પણ સમય છે . ગેરકાયદેસર બાંધકામ અને બિલ્ડરો ના ગોરખધંધા પર પણ નજર કરો ક્યાં સુધી આ ચાલશે. આપણે દેશ ને સુરક્ષિત કરવાનું વિચારીયે છીએ પણ દેશ ની અંદર જ સલામતી નથી. એનું શું?મોદી સાહેબ તમે સરદાર ની પ્રતિમા ને પગે લાગવા જાવ પણ એક નજર અહીં પણ નાખજો તો કદાચ એ માં બાપ ને સાંત્વના મળશે બાકી પ્રજા ની નજર માં તમારો ખોફ કે શરમ રહી જ નથી પણ જે માંન  છે એ ના ગુમાવતા. ઘણું લખવું છે પણ મારા હાથ આના થી વધારે નહિ લખી શકે

Comments